Sarmukhtyaar

Sarmukhtyaar by Navin Vibhakar ઇદી અમીનના જુલ્મો અને ઘાતકી શાસનની સત્ય ઘટનાઓ પર આધારિત નવલકથા. તમે અસુરો, દાનવોની અનેક વાતો પૌરાણિક ગ્રંથો કે કથાઓમાં વાંચી હશે . તેઓ પ્રજા પર જુલમ ગુજારતા ને પિશાચી આનંદ માણતાં. આ અસુરો, દાનવોનું અર્વાચીન સ્વરૂપ એટલે એડોલ્ફ હિટલર અને ઈદી અમીન જેવા સરમુખત્યાર શાસકો. 'રાક્ષક કુળ' ના આ વંશજોના જુલ્મ સહન કરનાર અનેક લોકો આજે પણ આપણી વચ્ચે વસે છે . આ શાસકો અને તેણે લોકો પર ગુજારેલા જુલ્મો વિશે અંગ્રેજીમાં તો ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે, જોકે આ મેણું ભાંગવા અમેર્કાવાસી નવીન વિભાકરે સ્તુત્ય પ્રયાસ કર્યો છે. |