We The People Of India

We The People Of India By Daulatbhai Nayak વી, ધી પીપલ ઑફ ઇન્ડિયા લેખક દૌલતભાઈ નાયક ‘વી, ધી પીપલ ઑફ યુનાઇટેડ સ્ટેટ્સ’નો નારો ૧૭૮૭ના સપ્ટેમ્બરની ૭મી તારીખે અમેરિકી સંઘરાજ્યના શરૂના તેર જેટલાં રાજ્યોની ધરતી પર ગુંજ્યો હતો. એ જ રીતે ‘વી, ધી પીપલ ઑફ ઇન્ડિયા’ ( અમે ભારતના લોકો)નો એવો જ નારો ૧૯૪૯ના નવેમ્બરની ૬ઠ્ઠી તારીખે ભારતની ધરતી પરથી પણ ઊઠ્યો હતો. બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત બન્યા બાદ ભારતના લોકોએ જ પોતાનું હાલનું બંધારણ ઘડ્યું અને ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મી તારીખથી તેને અમલી બનાવ્યું હતું. |